૧૧. વિકલાંગ (દ્દષ્ટિહીન,
અલ્પદ્દષ્ટી, શ્રવણમંદ, અસ્થિ વિષયક ખામી, માનસિક ક્ષતિ, માનસિક માંદગી) વ્યકિત માટે વિકલાંગ ઓળખકાર્ડ આપવાની યોજના
(૧) વિકલાંગ ઓળખકાર્ડ
મેળવવાની પાત્રતા
|
- વિકલાંગ વ્યકિત ૪૦%થી વધુ
વિકલાંગતા ધરાવતા હોવા જોઈએ.
- શ્રવણમંદ વ્યકિત.
- દ્રષ્ટિહીન વ્યકિત.
- ૭૦ કે તેથી ઓછી બુદ્ધિઆંક
ધરાવતી મંદબુદ્ધિવાળી વ્યકિત.
- ગુજરાત રાજયમાં કાયમી વસવાટ કરતા હોવા જોઇએ.
- આ યોજનાનો લાભ વિકલાંગ
વ્યક્તિઓને ઓળખકાર્ડ આપવાનો છે.
|
(૨) વિકલાંગ ઓળખકાર્ડ ઉપરથી
મળવા પાત્ર લાભો
|
- સરકારની યોજનાઓનો લાભ મેળવવા.
|
(૩) વિકલાંગ ઓળખકાર્ડ
મેળવવા અરજીપત્રક સાથે સામેલ રાખવાના આધાર-પુરાવા
|
- જે તે વિભાગના નિષ્ણાત
તબીબનું વિકલાંગતાની ટકાવારી દર્શાવાતું પ્રમાણપત્ર.
- અરજીપત્રક સાથે તાજેતરના પડાવેલ
સ્ટેમ્પ સાઈઝના ર (બે) ફોટા.
- રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ.
- ગુજરાત રાજયના કાયમી વસવાટના
પુરાવા.
- બ્લડગૃપનો દાખલો
- સક્ષમ અધિકારીનું આવકનું પ્રમાણપત્ર
- અરજીપત્રક જિલ્લા
સમાજસુરક્ષાની કચેરીએથી વિના મૂલ્યે મળી શકશે.
- અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા
અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે. જે કચેરી યોગ્ય પુરાવા ચકાસી
ઓળખકાર્ડ આપવાની કાર્યવાહી કરશે.
- મુખ્ય પેજ પર પાછા જાઓ>>>
|
No comments:
Post a Comment