RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

નિરાધાર અપંગને નાણાંકીય સહાય । ગુજરાત સરકારની યોજનાઓ । વિવિધ યોજનાઓ । સરકારી સહાય ।

૬. નિરાધાર અપંગ(વૃદ્ધ) ને 
નાણાંકીય સહાય યોજના 
(રાજ્ય સરકાર)
  • યોજનાનો ઉદ્દેશ:
  1. અપંગ નિરાધારોને  નિભાવ માટે નાણાંકીય સહાય આપવી.
  • પાત્રતાનાં ધોરણો:
  1. નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે.
  2. ૪૫  વર્ષથી  વધુ વયના નિરાધાર અપંગ વ્યક્તિઓ
  3. અપંગતાની ટકાવારી ૭૫ % થી વધુ હોવી જોઇએ.
  4. ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
  5. જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
  6. અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
  7. ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
  • યોજનાના ફાયદા / સહાય: 
  • માસિક રૂપિયા  ૪૦૦/- ની સહાય મળે છે.
  • લાભાર્થીને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવે છે.
  • પ્રક્રિયા:    
   તાલુકા મામલતદારશ્રીને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.
  • અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા  
  • મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેકટરશ્રી હેઠળના ૨૪૯ તાલુકાના મામલતદારશ્રીઓ.  
  • અપીલ અરજી અંગે:
    નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.
  • સહાય ક્યારે બંધ થાય:
        1. ૨૧ વર્ષનો પુત્ર થતાં.
        2.વાર્ષિક આવક વધુ થતાં.
  • અરજી ફોર્મ: 
    નિરાધાર અપંગ પેન્શન (રાજ્ય સરકાર) સહાય મેળવવાનું અરજીફોર્મ ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો...
      મુખ્ય પેજ પર પાછા જાઓ>>>

No comments: