૬. નિરાધાર અપંગ(વૃદ્ધ) ને
નાણાંકીય સહાય યોજના
(રાજ્ય સરકાર)
નાણાંકીય સહાય યોજના
(રાજ્ય સરકાર)
- યોજનાનો ઉદ્દેશ:
- અપંગ નિરાધારોને નિભાવ માટે નાણાંકીય સહાય આપવી.
- પાત્રતાનાં ધોરણો:
- નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે.
- ૪૫ વર્ષથી વધુ વયના નિરાધાર અપંગ વ્યક્તિઓ
- અપંગતાની ટકાવારી ૭૫ % થી વધુ હોવી જોઇએ.
- ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
- જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
- અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
- ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
- યોજનાના ફાયદા / સહાય:
- માસિક રૂપિયા ૪૦૦/- ની સહાય મળે છે.
- લાભાર્થીને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવે છે.
- પ્રક્રિયા:
તાલુકા મામલતદારશ્રીને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.
- અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા
- મહેસુલ વિભાગ હસ્તકના ૩૩ જિલ્લા કલેકટરશ્રી હેઠળના ૨૪૯
તાલુકાના મામલતદારશ્રીઓ.
- અપીલ અરજી અંગે:
નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે. - સહાય ક્યારે બંધ થાય:
1. ૨૧ વર્ષનો પુત્ર થતાં.
2.વાર્ષિક આવક વધુ થતાં.
2.વાર્ષિક આવક વધુ થતાં.
- અરજી ફોર્મ:
નિરાધાર અપંગ પેન્શન (રાજ્ય સરકાર) સહાય મેળવવાનું અરજીફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
No comments:
Post a Comment