૪. વિકલાંગ પેન્શન યોજના
4. ઈન્દિરા
ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન યોજના (કેન્દ્ર સરકારની યોજના) – (IGNDPS)
- યોજનાનો ઉદ્દેશ:
તીવ્ર અશક્ત વિકલાંગ વ્યક્તિઓ માટે નાણાંકીય સહાય
આપવી.
- પાત્રતાનાં ધોરણો:
1. અરજદારની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૮૦ વર્ષથી ઓછી હોવી
જોઇએ.
નોંધ:-૮૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને ઇન્દીરા ગાંધી
રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (IGNOPS) હેઠળ તબદીલ કરવાના હોય છે.
- લાભાર્થીનું નામ બી.પી.એલ. યાદીમાં ૦ થી ૧૬ ના સ્કોરમાં સમાવિષ્ટ હોવું જોઇએ.
- અરજદારની વિકલાંગતાની ટકાવારી ૮૦ % કે તેથી વધુ હોવી જોઇએ.
- યોજનાના ફાયદા / સહાય:
- ૧૮ થી ૭૯ વર્ષ સુધીનાને માસિક રૂપિયા ૬૦૦/- ની સહાય.(રૂપિયા ૩૦૦/- ભારત સરકાર અને રૂપિયા ૩૦૦/- રાજ્ય સરકાર તરફથી)
- પ્રક્રિયા:
- જિલ્લા સમાજસુરક્ષા અધિકારીશ્રીને નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે.
- અરજીપત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...
- અમલીકરણ કરતી કચેરી / એજન્સી / સંસ્થા :
- સમાજસુરક્ષા ખાતા હસ્તકના ૩૩ જિલ્લા સમાજસુરક્ષા અધિકારીશ્રીઓ
No comments:
Post a Comment